જામનગરના અમરાપરના વતની અને રાજકોટમાં રહેતા અંકિતભાઈ નારણભાઈ ઘાડીયાનું તા. ૩૧-૧૨-૨૦૨૪ના રોજ અચાનક હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. આજે બપોરે ૧૨:૧૦ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. અંકિતભાઈના અવસાનથી તેમના પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અંકિતભાઈ રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હતા અને તેમની વ્યાપક પ્રતિષ્ઠા હતી. તેમના અવસાનથી રાજકીય વર્તુળોમાં પણ શોકની લાગણી વ્યાપી છે. અંકિતભાઈને બે સંતાન હતા, એક દીકરો અને એક દીકરી બન્ને જુડવા છે. અંકિતભાઈનુ અચાનક અવસાનથી જામનગર અને રાજકોટમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટ જામનગરમા રાજકીયરીતે જાણીતા વ્યક્તિ અંકિતભાઈ ઘાડીયા તેમનું મૂળ ગામ જામનગર જિલ્લાનુ અમરાપર હતું. અંકિતભાઈ રાજકીય ક્ષેત્રમાં સક્રિય હતા અને તેમનું મિત્ર વર્તુળ ખૂબ વિશાળ હતું. તેમના નિખાલસ સ્વભાવ અને મળતાવડા વ્યવહારને લીધે તેઓ દરેકના પ્રિય હતા. તેમના અચાનક અવસાનથી રાજકીય ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંકિતભાઈના અચાનક અવસાનથી તેમનો પરિવાર હિબકે ચઢ્યો છે.