spot_img

કરોડોનુ ફૂલેકુ: જામનગર શહેરમાં વધુ એક રોકાણ કરાવતી ખાનગી કંપનીના ચીટીંગ નો લોકો શિકાર બન્યા: ઊંચા કમીશન અને છ વર્ષે બમણાં ની લાલચે ખાનગી કંપની માં રોકાણના બહાને જામનગરના અનેક લોકોએ પોતાની કરોડોની રકમ ગુમાવી: જામનગરમાં ૧૫૦૦થી વધુ એજન્ટ ધરાવતી કંપની ના મુખ્ય સંચાલકોએ નાણાં ચૂકવવા માટે હાથ ઊંચા કરતાં એજન્ટ ની ટીમના અમદાવાદ માં ધામા

જામનગર તા ૧૭, જામનગરમાં યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લી. (મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની) માં ઊંચા વળતર ની લાલચે રોકાણ કરવાની લોભામણી સ્કીમમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના અનેક લોકોએ પોતાની કરોડોની રકમ ગુમાવી હોવાનો વારો આવ્યો છે. કંપનીના મુખ્ય હોદ્દેદારોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લેતાં રોકાણકારો તેમજ ૧૫૦૦થી વધુ એજન્ટો ફસાયા છે, અને એજન્ટોની ટીમે અમદાવાદની ઓફિસમાં ધામા નાખ્યા છે. ઉપરાંત એજન્ટ ના ઘરે રોકાણકારો પહોંચીને મારામારી તેમજ જે હાથમાં આવ્યું તે ઝુંટવી લેવાના પણ કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં વધુ એક ખાનગી કંપનીમાં નાણા રોકાણના ની લાલચે ચીટીંગ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સૌથી વધુ રોકાણકારો જામનગર પંથકના નાગરિકો હોવાનું જાણવા મળી રહયું છે, અને તેમાં કરોડો રૂપિયાની રકમ સલવાઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ નામની ખાનગી કંપનીની બ્રાન્ચ કે જે પેઢીની મુખ્ય ઓફીસ અમદાવાદમાં આવેલી છે, અને તેનું નેટવર્ક સમગ્ર દેશ ભરમાં છે, અને ૯૫ થી વધુ બ્રાન્ચ આવેલી છે. જે કંપનીમાં નાણા નું રોકાણ કરનાર ને એક મહિને, બે મહિને, વર્ષે, એમ અલગ અલગ સમયે ઊંચી ટકાવારી પ્રમાણે કમિશન અપાતું હતું, જ્યારે મૂળ રકમ ના છ વર્ષે બમણા આપવાની પણ લોભામણી જાહેરાત કરીને અનેક રોકાણકારોના પૈસા જમા કરાવી કંપની દ્વારા પરત ચૂકવવામાં હાથ ખંખેરી લેવાયા છે. ગત ૨૦૧૬માં આ કંપની શરૂ થઈ હતી, અને જામનગર શહેરમાં આશરે ૧,૫૦૦ જેટલા એજન્ટ બન્યા હતા, અને અલગ અલગ રોકાણકારોની મોટી રકમ આ પેઢીમાં જમા કરાવાઈ હતી, તેમાં ૨૫ કે ૫૦ હજારથી લઈને ૧૦ લાખ થી ૨૫ લાખ સુધીનું પણ રોકાણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પ્રારંભમાં કંપની દ્વારા રોકાણકારોને ઊંચું વળતર અપાતું હતું, જેથી વધુ અનેક વધુ રોકાણકારો તેમાં આકર્ષાયા હતા, અને પોતાની મોટી રકમ આ પેઢીમાં જમા કરાઈ હતી, અને એજન્ટો મારફે તે તમામને પોલિસીઓ પણ અપાઇ હતી. જેની પાકતી પુરી થઈ ગઈ હોવા છતાં હાલમાં કંપનીએ નાણાં ચૂકવવા માં હાથ ખંખેરી લીધા હતા. રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા અમદાવાદની મુખ્ય કચેરીએ અનેક વખત ઉઘરાણી માટે ધક્કા ખાધા, પરંતુ ટૂંક સમયમાં નાણાં પરત મળી જશે, તેવી હૈયાધારણાં અપાતી હતી. જેમાં કેટલાક રોકાણકારોની ધીરજ ખૂટી જતાં જામનગરમાં વસવાટ કરતા એજન્ટોને ઘેર અથવા તો નોકરી-ધંધાના સ્થળે રોકાણકારોએ પહોંચી જઈ રિકવરી માટે મારામારી, ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, તો ક્યાંક ને ક્યાંક એજન્ટો ના મોબાઈલ ફોન, વાહન તથા અન્ય ચીજ વસ્તુઓ છીનવી લેવા ના પણ કિસ્સા બન્ય છે. આ મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા ને આવેદન અને અરજીઓ પણ કરાઈ ચૂકી છે. તેમ જ કેટલાક એજન્ટો સામે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. સમગ્ર મામલામાં રોકાણકારો ને પોતાના પૈસા મળ્યા ન હોવાથી હાલમાં જામનગરના ૫૦ થી વધુ એજન્ટો એ અમદાવાદની ઓફિસમાં ધામાં નાખ્યા છે, અને કંપનીના મુખ્ય સંચાલકો પાસેથી પૈસા મેળવવા માટે ના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. જામનગરના રોકાણકારોની કરોડોની રકમ સલવાઈ હોવાથી લોકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles