જામનગર :
ધંધુકાની RMS હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને પ્રતિષ્ઠિત સમાજસેવક ધરમશીભાઈ મોરડીયાની ગત તા. ૨૨ના રોજ થયેલી હત્યાએ સમગ્ર રાજ્યમા શોકનું મોજું ફેલાવ્યું છે. આ ઘટનાને સમાજના તંદુરસ્ત વાતાવરણ માટેના એક મોટા ફટકા તરીકે જોવામાં આવી રહી છે. ધરમશીભાઈ માત્ર એક વ્યક્તિ ન હતા, પરંતુ તેઓ સમાજસેવાના એક પ્રતીક સમાન હતા. તેઓ નિવૃત્ત જીવન જીવવાને બદલે ધંધુકા વિસ્તારના દરિદ્ર નાગરિકોની સેવામાં સતત પ્રવૃત્ત રહેતા હતા. પોતાના પૌત્રો સાથે પરિવારિક આનંદ માણવાને બદલે તેઓ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ રહ્યા. આવી વ્યક્તિનું નિર્દયતાથી ખૂન કરવું એ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે.
આ ઘટનાએ સમાજમાં એક ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે શું આપણો સમાજ સુરક્ષિત છે? જ્યારે સમાજસેવકો પણ સુરક્ષિત ન હોય ત્યારે સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે? આવા અપરાધીઓને કાયદાના કઠોર હાથે સજા મળવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં.આંતરરાષ્ટ્રીય ફર્મી સેના સહિત અનેક સંસ્થાઓએ ધરમશીભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સમાજ તેમના મહત્વના યોગદાનને હંમેશા યાદ રાખશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.