આજે સાંજે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં 30 થી વધુ લોકોના મોત થયા હોવાની ભાયવહ ઘટના સામે આવી છે ત્યારે આ ઘટનામા અનેક લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારોને સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. SIT દ્વારા આગ લાગવાનું કારણ અને જવાબદારો શોધવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે હું હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ. પાઠવીછે, મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. SIT દ્વારા આગ લાગવાનું કારણ અને જવાબદારોની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટ ગેમઝોનમાં ભીષણ આગ : મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારોને 4લાખની સહાય: સમગ્ર ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી
0
85
Previous article