
રાજકોટના TRP મોલમાં ભીષણ આગ, બાળકો સહિત 30થી વધુ લોકોના મોત!અંદાજે 80 થી વધુ લોકો આ ગેમ ઝોનમા ફસાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આજે સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP મોલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

આગ એટલી તીવ્ર હતી કે ઘણા લોકો, ખાસ કરીને બાળકો તેમાં ફસાઈ ગયા અને મોત પામ્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ અજ્ઞાત છે. ફાયર બ્રિગેડની ટીમોએ ઘણી મહેનત બાદ કલાકો સુધી ચાલી રહેલી આગ પર કાબુ મેળવ્યો. ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્યનું સંચાલન કરી રહ્યા હતા.આ ઘટનાએ આખા શહેરને હચમચાવી દીધું છે.મૃતકોની સંખ્યા ૩૦ને પાર થાઈ ચુકી છે, અંદાજ છે કે હજી ૮૦ થી વધુ લોકો આ ગેમ ઝોનમા ફસાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.