સમાજસેવા, રાજકારણ અને સંગઠન શક્તિનો ત્રિવિધ દ્રષ્ટિ ધરાવતા હસમુખભાઈ ‘ઈવા તથા રઘુવીર ચેરીટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ અને કિશાન મોરચાના મંત્રી તરીકે સેવારત
જામનગર:જામનગર શહેરના યુવા, કર્મઠ અને સંવેદનશીલ પાટીદાર અગ્રણી હસમુખભાઈ પેઢડીયા નો આજે જન્મદિવસ છે. તેઓ માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભૂમિકા માટે જાણીતા છે. પોતાના મિલનસાર સ્વભાવ અને મજબૂત સંગઠન શક્તિના બળે તેમણે યુવા વયે સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.સેવાકીય કાર્યો થકી સમાજ પ્રત્યે સમર્પણ હસમુખભાઈ પેઢડીયા ‘ઈવા તથા રઘુવીર ચેરીટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ તરીકેની ગૌરવવંતી જવાબદારી નિભાવી રહ્યા છે. આ ટ્રસ્ટના માધ્યમથી તેઓ અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટોનું સફળ સંચાલન કરે છે. જરૂરિયાતમંદ પરિવારોને સહાય, શૈક્ષણિક કિટ વિતરણ, મેડિકલ કેમ્પ અને સમાજ ઉત્થાનના કાર્યોમાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે. તેમની અંદર રહેલી કરુણા અને બાળકો પ્રત્યેની વિશેષ લાગણી તેમને અન્ય નેતાઓથી અલગ તારવે છે. તેઓ બાળકોના ભવિષ્ય અને તેમના શિક્ષણ માટે હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહે છે.

રાજકીય અને સંગઠન ક્ષેત્રે મજબૂત પકડ એક યુવા પાટીદાર નેતા તરીકે, હસમુખભાઈ જામનગરના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના ‘કિશાન મોરચા – જામનગર મહાનગર’ માં મંત્રી તરીકેનું મહત્વનું પદ સંભાળી રહ્યા છે. આ પદ પર રહી તેઓ ખેડૂતો અને કિસાનોના પ્રશ્નોને વાચા આપવા તથા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત છે.તેમની પાસે રહેલી અદભુત સંગઠન શક્તિ અને કુશળ નેતૃત્વના કારણે તેઓ પક્ષના કાર્યકરોમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ મોટું રાજકીય પીઠબળ ધરાવે છે, જેનો ઉપયોગ તેમણે હંમેશા જનકલ્યાણના કાર્યો અને સામાજિક વિકાસ માટે કર્યો છે.
આજના આ વિશેષ દિવસે, તેમના જન્મદિવસ નિમિત્તે, હસમુખભાઈને તેમના વિશાળ મિત્ર વર્તુળ, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, પાટીદાર સમાજના આગેવાનો અને અસંખ્ય શુભચિંતકો તરફથી મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન અને શુભેચ્છાની વર્ષા થઈ રહી છે. તેમનું આગામી વર્ષ સુખમય, યશસ્વી અને આરોગ્યપ્રદ નીવડે તથા તેઓ સમાજસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.


